સંસ્કૃત-પ્રાકૃતમાં વીરામચીહ્નો હતાં ?!

વીરામચીહ્નો વીષે કેટલુંક જાણવા જેવું :
————————————————————————————————-

વ્યાકરણના પાઠો — 11.

વર્તમાન સમયમાં એક વલણ એવું છે કે લખાણમાં શક્ય એટલાં ઓછાં વીરામચીહ્નો મુકવાં. એકપણ વીરામચીહ્ન ન મુક્યું હોય એવી રચનાઓ પણ મળે છે ! દા.ત. નલિન રાવળ કૃત કાવ્ય ‘એકાંત’માં એકપણ વીરામચીહ્ન નથી. વીરામચીહ્નો ઓછાં વાપરવાનું વલણ છતાં આજેય લખાણમાં એનું મહત્ત્વ જરાય ઓછું નથી….

જે વીરામચીહ્નો આપણે આજે વાપરીએ છીએ તે મુળ આપણાં નથી !! આરંભકાળમાં તો આપણે ત્યાં લખાણમાં વીરામચીહ્નો  હોવાનું જણાયું નથી. લખાણમાં તો તે બધાં પાછળથી આવ્યાં છે. ઈ.સ.પુર્વે ત્રીજી સદીના અશોકના શીલાલેખમાં એકપણ ચીહ્ન નથી. ઘણા સમય પછી પુર્ણવીરામની જગ્યાએ ઉભી લીટી (|) કરવાનો રીવાજ થયો.

તો સવાલ એ થાય કે વીરામચીહ્નો વગર કઈ રીતે ચાલતું હશે ?!

જવાબમાં જાણીને આશ્ચર્ય થાય એમ છે. આપણે ત્યાં સંસ્કૃત કે પ્રાકૃતમાં લીપીબધ્ધ થયેલા ગ્રંથો જોતાં ચોક્કસ જણાશે કે એ ચીહ્નોની જરુર જ ન પડે એવી ભાષાકીય રચના જ નક્કી થયેલી હતી !! નવાઈ લાગે છે ને ?! પણ જુઓ આ નીચેની વીગતો, તાજ્જુબ થઈ જશું :

એ વખતની ભાષાઓમાં ચીહ્નોને બદલે એવાં અનેક અવ્યયો જ હતા કે બરાબર તે નીશાનોની જ કામગીરી કરી આપે. આ અવ્યયો વીરામચીહ્નોના ભાવને સુચવવા માટે સક્ષમ હતા.

જેમ કે, , વા કે તથા જેવા અવ્યયો અલ્પવીરામની ગરજ સારે છે. ‘અથવા’  એ અર્ધવીરામસુચક છે. ‘ઇતિ’ શબ્દ પુર્ણવીરામનો ભાવ દર્શાવે છે. પ્રશ્ન સુચવવા માટે ‘કિં’, ‘અહોસ્વિત્ ‘. ‘ઉત’, ઉતસ્વિત્ ‘, ‘કિં’, ‘વા’ વગેરે અનેક અવ્યયો હતા. ઘટકસુચક ચીહ્નને બદલે ‘કિન્તુ’થી બરાબર કામ સરે છે. ‘અથ’ શબ્દ કંડીકાનો આરંભ સુચવે છે, જ્યારે ‘અપિ ચ’, ‘કિન્ચ’ વગેરે અવ્યયો કંડીકાની અંદર આવતા વીભાગોને કે વીષયાન્તરને જ નહીં, જુદી જ કંડીકાનો નીર્દેશ કરે છે. ‘તથાહિ’ જેવા અવ્યયો દર્શકચીહ્ન તરીકે કામ આપે છે તો ‘તદુક્તં‘, ‘તથા ચ’, ‘યથા’ વગેરે અવતરણચીહ્ન રુપે કાર્ય કરે છે. જ્યારે ‘યચ્ચોક્તં’, ‘યદપ્યુક્તં‘, ‘યદ્યપિ’વગેરે પદો આગળ આવી ગયેલા વીષયોની યાદી આપે છે. વીસ્મય કે આશ્ચર્ય માટે ‘અહો’, તથા ‘હો’નો ઉપયોગ થતો હતો જ્યારે ‘રે’અને ‘અરે’શબ્દનો ઉપયોગ સંબોધન સુચવે છે. હાસ્ય માટે પણ ‘અહો’ વપરાતો.

આ ઉપરાંત ‘હિ’, ‘યત:’, ‘તત:’, ‘ઇત:’, ‘તદ્યથા’, ‘ભવતુ નામ’, ‘અસ્તુ નામ’,'જાતુ’, ‘ચેત્ ‘, ‘તર્હિ એવં’ વગેરે અવ્યયો તે તે પ્રકારના વાક્ય વીભાગને સુચવે છે…..‘આહુ:’, ‘પ્રેરયન્તિ’ વગેરે ક્રીયાપદો કોઈ પણ પક્ષની શરુઆતને  બતાવે છે જ્યારે ‘અત્ર પ્રતિવિધિયતે’, ‘અત્રોચ્યતે’ જેવાં ક્રીયાપદો કોઈ પણ પક્ષના પ્રતીવાદની શરુઆત દર્શાવે છે.

આમ જોવા જઈએ તો આ બન્ને ભાષાઓમાં અનેક અવ્યયો છે જે દરેક પ્રકારના વાક્યવીભાગને જણાવવાને માટે પુરતાં હતાં. એટલા જ માટે અભ્યાસીઓ અને અવ્યયોના મર્મને જાણનારાં કદી પણ એકધારા વીભાગ વીનાના લખાણને જોઈને ભરમાતા કે મુંઝાતા નથી….
—————————————————————————————————–
ગુજરાત વીદ્યાપીઠ પ્રકાશીત ‘ગુજરાતીમાં વીરામચીહ્નો’ નામક પુસ્તીકાને આધારે સાભાર. 
 

વીરામચીહ્નોની વાત ફક્ત અટકે છે, બંધ થતી નથી.

વ્યાકરણના પાઠો : 10
જુગલકીશોર=========================================================

વીરામચીહ્નો : 4

સહપાઠીઓ !

વ્યાકરણના પાઠો અંતર્ગત આપણા આ શ્રેણીના કુલ 9 હપ્તા થયા. એમાંય વીરામચીહ્નોનો આ ચોથો હપ્તો છે. આ પ્રકરણ જાણી જોઈને ટુંકાવ્યું છે. વીરામચીહ્નોની વાત ઘણી ઉંડાણથી કરવાની જરુર નથી જણાઈ તેથી આ ચારેય હપ્તામાં સાવ સામાન્ય કહેવાય એવી વીગતો આપી છે. વધુ જરુર જણાશે અથવા પૃચ્છા થશે તો આગળ ઉપર એની વીગતોમાં ઉતરીશું. અત્યારે તો આ બધું છાશમાં પાણી નાખીને પીરસ્યું છે. વીરામચીહ્નોનો ઉપયોગ ફક્ત ગદ્યમાં જ નહીં, પદ્યમાં પણ વીરામચીહ્નોનો વાપર કાવ્યનો વીચાર કે ભાવ યોગ્ય રીતે ઉપસાવવામાં બહુ જ ઉપયોગી હોય છે.

આશા છે કે આ સાવ સામાન્ય એવી વીગતો પણ આપણે ઉપયોગમાં લઈશું.

આજે હવે આ હપ્તામાં બાકી રહી જતાં ચાર ચીહ્નો — 1- અવતરણચીહ્ન, કૌંસ, લોપકચીહ્ન અને લોપચીહ્ન — વીષે વાત કરીને વ્યાકરણના પાઠોનું આ પ્રકરણ પુરું કરીશું.

————————————————————–

અવતરણચીહ્નો [ '--'  તથા " --" ] :

આ ચીહ્નોનો ઉપયોગ લખાણમાં આવતાં કોઈ વીશેષ નામો કે કોઈ મહત્ત્વની બાબત તરફ ધ્યાન ખેંચવા માટે તથા કોઈ અન્યના અવતરણોને ટાંકવા માટે થાય છે. ઘણીવાર લખાણમાં એક અવતરણની અંદર કશીક રજુઆત થઈ રહી હોય તે દરમીયાન બીજી કોઈ વ્યક્તીનું અવતરણ આપવાનું થાય ત્યારે બંનેને અલગ પાડવા માટે બંને પ્રકારનાં અવતરણચીહ્નોનો ઉપયોગ થાય છે.   

દા.ત.
1] આપણા સાહીત્યમાં ‘કલાપી’નું નામ અને કાર્ય સૌ કોઈને જાણીતું છે.
2] કાકા કાલેલકરે પોતાને લાગેલી ભુખને આલંકારીક રીતે આ રીતે મુકી છે : “ભુખ તો એવી લાગી હતી કે કુણા કુણા કાંકરાય પચાવી જાઉં !”
3] શીક્ષકે કહ્યું, “સૌ પોતાની જગ્યા પર જ ઉભા રહીને ગીત ગાશે.”
4] તમણે આ પ્રમાણે વાત મુકી હતી : ” હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એમણે કહેલી વાત, ‘ગુજરાતીઓએ સૌએ સાથે મળીને કામ કરવું જ પડશે’  મારા મનમાં બહુ અસર કરી ગઈ હતી.” .

કૌંસ : (–) / { — } /  [ -- ] :

ઉપર બતાવેલા ત્રણેય પ્રકારના કૌંસ લખાણમાં વપરાય છે. ગણીતમાં છગડીયા કૌંસ અને મોટા કૌંસ તરીકે ઓળખાય છે. એનું સ્થાન પણ એ રીતે જ નક્કી થયેલું છે. લખાણમાં જ્યાં જરુર જણાય ત્યાં મહત્ત્વની બાબતને ખાસ સ્પષ્ટ કરવા માટે કૌંસમાં મુકવામાં આવે છે. લખાણમાંની કોઈ બાબતનું અર્થઘટન કરવામાં કૌંસનો ઉપયોગ થાય છે. વાક્યમાંના કોઈ શબ્દનો અન્ય અર્થ બતાવવા માટે પણ એનો વાપર છે. ઉપરાંત નાટકમાં વાચકને કેટલીક બાબતો દર્શાવવા માટે પણ કૌંસ વપરાય છે.

દા.ત.
1] આપણા સૌ બ્લોગમાંનો એ ( સારસ્વત પરીચય ) એની વીશેષતાને કારણે પ્રસીદ્ધ થયો છે.
2] …પછી તો મારે એમની સાથે ( સુરેશભાઈ સાથે સ્તો વળી ) સારી ભાઈબંધી થઈ ગઈ.
3] અંતાણી :  ( હાથમાંની પેન ઉંચી કરીને)  “હવે જોઈ લેજો આપણી તડાફડી !”

લોપકચીહ્ન : ( ‘ ) :

કોઈ શબ્દ, અક્ષર કે આંકડાની પછી તરત જ આવતું આ ચીહ્ન બતાવી આપે છે કે અહીં કોઈ અક્ષર બતાવાયો નથી..
દા.ત.
1] ચીરાગ :  આટલા દા’ડાથી  એ ક્યાં ગ્યો’તો ઈ જ ખબર નો’તી. 

લોપચીહ્ન : (……) :

આ ચીહ્ન વાક્યને અધુરું રાખવા કે કોઈ શબ્દની આગળની વાતને અટકાવીને અધ્યાર રાખવા માટે વપરાય છે. એનાથી વાતને એક રહસ્ય સાંપડે છે, કે પછી ચોટતા આવે છે.  
દા.ત. ” છેવટે તો હું દીકરી ખરીને ! મારે તો છેવટનો ઉપાય કુવો પુરીને ……” 
===================================================================

સહયોગીઓ ! આ છેહ્નોવાળી વાતને અહીં અટકાવીએ છીએ પરંતુ બે વાત ધ્યાને લઈશું :
1 — આપણે સૌ આ ચીહ્નોનો છુટથી અને યોગ્ય સ્થાને ઉપયોગ કરતાં જ રહીશું, જેથી આપણા લખાણમાં અર્થ વધુ સ્પષ્ટ થાય અને ભાષા વધુ સાર્થક થાય; 
2] જ્યારે પણ જરુર પડે ત્યારે આની ચર્ચા ચાલુ રાખીશું. અસ્તુ. 

                           —====000====—
 

વીરામચીહ્નોનાં પ્રશ્નો અને આશ્ચર્યો !!

વ્યાકરણના પાઠો : 9

જુગલકીશોર.=======================================

વીરામચીહ્નો : 3

એક મીત્ર : “હું મુરખ છું ?”
બીજો મીત્ર પહેલાને : “તારા વાક્યમાંથી પ્રશ્નાર્થચીહ્ન કાઢી નાખીને પછી જો !”

આ સંવાદ આપણને પ્રશ્નાર્થચીહ્ન અને ઉદ્ગારચીહ્નઅંગે ઘણું કહી જાય છે. એ બન્ને ચીહ્નોની વાત કરતાં આજે આપણે એ બન્નેની ઉપયોગીતા અને વીશેષતાઓ જોઈશું.

પ્રશ્નાર્થ ચીહ્ન : ( ? )

એના નામ પ્રમાણે આ ચીહ્ન વાક્યમાં રહેલો પ્રશ્નઆપણને દર્શાવે છે. પુર્ણવીરામની જેમ આ ચીહ્ન પણ વાક્યની પુર્ણતા દર્શાવે છે. છતાં કહેવું જોઈએ કે પુર્ણવીરામચીહ્ન વાતને પુરી કરે છે જ્યારે પ્રશ્નાર્થચીહ્ન સંવાદ ઉભો કરે છે !  પ્રશ્નાર્થચીહ્ન પછી આપોઆપ એક અપેક્ષા ઉભી થઈ જાય છે, તરત બીજા એક વાક્યની. આ ચીહ્નવાળું વાક્ય સાદા પુર્ણવીરામ વાળા વાક્યથી  સંતોષ પામે છે. [ આ વાત આપણા જીવનવ્યવહારોમાંય કેવી બંધબેસતી થાય છે ?! ]
ઉદ્ગારચીહ્ન : ( ! )

આ ચીહ્નને આશ્ચર્યવીરામચીહ્નપણ કહેવામાં આવે છે. એના નામ પ્રમાણે એ ઉદ્ગારમાં રહેલા આશ્ચર્ય, કટાક્ષ, સુખ-દુ:ખના વીશેષ ભાવો વગેરે પ્રગટાવવામાં મદદ કરે છે. સાહીત્યકારો માટે આ ચીહ્ન બહુ ઉપયોગી અને થોડામાં ઘણું પ્રગટ કરી દેનારું બની રહે છે.  
ખાસ કરીને ત્રણ પરીસ્થીતીમાં તેનો વીશેષ ઉપયોગ થાય  છે :

1]  મનના ભાવોની તીવ્રતા દર્શાવવામાં .
   દા.ત.  ” કેવી ઠંડી પડી રહી છે !”

2] કેટલાક અવ્યવો જેવા કે અરે, અરર વગેરે જેમાં આવ્યા હોય તેવા વાક્યને છેડે તે આવે છે .
દા.ત.  ” અરર, આવી ક્રુરતા !”

3]  સંબોધન માટેના નામ પછી તરત  (અલ્પવીરામના સ્થાને) તે વપરાય છે. સંબોધન પછી વાક્યમાં જો ભાર દર્શાવવાનો હોય તો વાક્યના છેડે પણ તે આવે છે .
દા.ત. “પ્રફુલ ! તને યાદ છે આજે બીલ ભરવાનો છેલ્લો દીવસ છે ! “

4]  ભાવની ઉદ્રેકતા દર્શાવનારા શબ્દો પછી પણ તે આવે છે .
દા.ત.  ” ખબરદાર ! હવે એક શબ્દ પણ આગળ બોલ્યો છે તો !”
અથવા, ” આનંદો ! આજે તો ચુંટણીની રજા છે !”

સૌ મીત્રોને ખાસ ભલામણ છે કે પોતાનાં લખાણોમાં આ ચીહ્નોનો વાપર તેઓ કરતાં રહે.
—————————————————————
[અન્ય ચીહ્નોની વાત આવતે વખતે.]

વાંચવામાં સહેલાં પણ લખવામાં અઘરાં વીરામચીહ્નો.

ગુજરાતી વ્યાકરણના પાઠો : 8

–જુગલકીશોર.
==================================================================

વીરામચીહ્નો : 2

[વીરામચીહ્નની ગયા અંકમાં કરેલી વાત આગળ ચલાવતાં પહેલાં કેટલાંક ઉમેરણ પણ જોઈ લઈએ: ] 

1]  પુર્ણવીરામ : સાદાં વીધાન વાક્યોને અંતે પુર્ણવીરામ આવે છે તે જોયું;

2]  અ.સૌ; ન.પ્ર. બુચ વગેરે શબ્દોને ટુંકાવવા માટે વપરાય તે પણ આપણે જોયું ;

3]  સવાલ કે અન્ય વીગતોમાં આવતા ક્રમાંક પછી પણ પુર્ણવીરામ આવે છે તે નોંધશો, દા.ત. દાખલો નં. 1. ; દાખલો નં. 2. વગેરે. જ્યારે બીજી પણ એક વધુ વાત નોંધશો: 

4]  આજ્ઞાવાચક વાક્ય પછી પણ પુર્ણવીરામ આવે છે; દા.ત. તમારું હોમવર્ક કરો.  હાથ ધુઓ.. વગેરે.  

અલ્પવીરામ બાબત પણ એક વધુ વીગત નોંધી લેશો :  અરેરે, ખરેખર, હે ભગવાન વગેરે જેવા શબ્દો વાક્ય શરુ થતાં પહેલાં આવે ત્યારે તરત અલ્પવીરામ આવશે. દા.ત. ખરેખર, એમની વાત સમજવા જેવી છે. અહો, કેવી વીરોધાભાસી વાત કહી ? અરેરે, એમને માથે તો કેવી વીતશે હવે ? વગેરે.
હવે આજે અન્ય ચીહ્નો જોઈએ :

———————————————————————–

અર્ધવીરામચીહ્ન: ( ; )

પુર્ણવીરામ અને અલ્પવીરામચીહ્નોને ઉપરનીચે મુક્યાં હોય એવું આ અર્ધવીરામ ચીહ્ન વાક્યમાં વાપરવામાં ધ્યાન રાખવાનું હોય છે. એ ગમે ત્યાં વાપરી શકાતું નથી.  જુઓ :

1]   અટકવા માટેના કાર્યની આ ચીહ્નની સાદી વાત તો એટલી જ છે કે અલ્પવીરામ કરતાંવધુ સમય અને પુર્ણવીરામ કરતાં ઓછો સમય અટકવા માટે અર્ધવીરામ વપરાય છે.

2]   પરંતુ બીજી પણ એક વીશેષ કામગીરી આ ચીહ્નની છે તે યાદ રાખશો :  જ્યારે લાંબા વાક્યોમાં મુખ્ય વાક્યની સાથેનાં એક કે એકથી વધુ પેટા વાક્યો (ઉપવાક્યો) આવે અને તે વાક્યો પાછાં સાવ સ્વતંત્ર ઉભાં રહી શકે એવાં અર્થપુર્ણ હોય ત્યારે એ વાક્યો પછી ( ; ) આ ચીહ્નનું અર્ધવીરામ મુકવામાં આવે છે. દા.ત. પોલીસ આવી ; ચારેબાજુ ભાગંભાગ થઈ ગઈ.  આ વાક્યમાં પાછલું વાક્ય આગળના વાક્યને કારણે જ પુરું સમજાય છે પરંતુ પહેલું વાક્ય સ્વતંત્ર હોઈ અર્થ તો આપે જ છે . જ્યારે પાછળના મુખ્યવાક્યને માટે આગળના વાક્ય પાસે અર્ધવીરામ જરુરી હોઈ ત્યાં આ ચીહ્ન બહુ ઉપયોગી બની રહે છે. ઉપરાંત,બીજો દાખલો લઈએ તો, “અંધારું થઈ ગયું હતું; વાતાવરણ શાંત હતું; ગમે ત્યારે કોઈ આવી ચડે એવી સ્થીતી હતી; છેવટે સામેથી એમની કાર આવી ત્યારે સૌનેનીરાંત થઈ.” 

 ગુરુ વીરામચીહ્ન . ( : )  તેનો પયોગ આ મુજબ થાય છે : 

1- વાક્યમાં આગળ આવનારાં અવતરણ ચીહ્નની પહેલાં ગુરુવીરામ મુકવામાં આવે છે. દાત. ” રમણે કહ્યું : “આરામ હરામ હૈ વાળું જવાહરલાલનું આ વાક્ય બહુ જાણીતું છે.”

2- અવતરણચીહ્નો ન બતાવાયાં હોય ત્યારે પણ ક્વોટેડ વાક્યની પહેલાં ગુરુવીરામ આવે છે. દા.ત. ગાંધીજી કહેતાં : ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નીશાની છે.

3- કોઈ બાબત સમજાવવાની હોય ત્યારે એવા સમજુતીસુચક વાક્ય કે શબ્દસમુહની પહેલાં ગુરુવીરામ આવે છે. દા.ત. સો વાતની એક જ વાત મારે કહેવી છે : ગુજરાતી વડે એકતા લાવો. 

લઘુરેખા . ( - ) :  આ કૌંસમાં બતાવેલું ચીહ્ન લઘુરેખાનું છે.

1-  સમાસ જેવા શબ્દોના જોડકાંના બન્ને શબ્દોને લખવા માટે આ રેખાનો ઉપયોગ થાય છે. દા.ત. સવાર-સાંજ તેમની મુલાકાત થવા માંડી. એમનું બોલવું-ચાલવું સાવ બદલાઈ ગયું હતું.

2-  લખતાં લખતાં પંક્તી પુરી થઈ ગયા પછી કોઈ શબ્દના એક-બે અક્ષરો સમાઈ શકે તેમ ન હોય ત્યારે લીટીને અંતે આવેલા અક્ષર પછી લઘુરેખા કરવામાં આવે છે.  જે બતાવે છે કે વાક્ય ચાલુ હોઈ આ શબ્દ આગળની લીટીમાં ચાલુ જ છે.

ગુરુરેખા : ( –) :  
લઘુરેખા કરતાં બેવડી લાંબી આ રેખા વીવીધ ઉપયોગ માટે જાણીતી અને લેખકોની માનીતી કહી શકાય એવી છે. એનો ઉપયોગ કરીને ઘણું કામ એની પાસેથી લઈ શકાય છે. જેમકે -

1-  ગુરુવીરામ જેવી જ કામગીરી આ  રેખાનીછે. દા.ત. હું તો માનું છું –   ” ભાષાના નીમીત્તે જ આપણે સૌ એક બની શકીશું “

2-  ઘણી વાર કહેવાની વાત વાચક સમજી જ જશે એની ખાત્રી સાથે અધુરી છોડીને ત્યાં ગુરુરેખા કરવામાં આવે છે. જેમકે, ” જેમના આવવાની બીક હતી તે જ સામે આવીને ઉભો હતો. એટલે પછી — “

3-  જે વાત આગળના વાક્યમાં કહી હોય તેની જ પુર્તીરુપે કે એના પર્યાય તેરીકે વાત વધુ અસરકારક રીતે કે સ્પષ્ટ કરવા કહેવી હોય ત્યારે ગુરુરેખાથી કામ લેવામાં આવે છે. દા.ત.  “કેવો લુચ્ચો છે, આ માણસ — શીયાળ જ જોઈ લ્યો. ”

4-  ઘણી વાર કૌંસની કામગીરી પણ ગુરુરેખા પાસેથી લેવામાં આવે છે. ખાસ કરીને જ્યારે લખતાં લખતાં વચ્ચે કશુંક ઉમેરવાનું યાદ આવી ગયું ન હોય, જાણે તે રીતે એનો ઉમેરો આ  ગુરુરેખાની મદદથી કરવામાં આવે છે.દા.ત.  ” એક ખાસ મહત્વની વાત — તમને વાંધો ન હોય તો — કહું ? “  તથા ” ચાલતાં ચાલતાં તેણે — કોઈ ન સાંભળેએમ –  એને ખભે હાથ મુકીને કહ્યું.”

—————————————————————————

[ બાકીનાં વીરામચીહ્નો ત્રીજા હપ્તે. ] 

વીરામચીહ્નો લખાણની શોભા અને સાર્થકતા છે.

ગુજરાતી વ્યાકરણના પાઠો : 7
**********************************
–જુગલકીશોર.
***********************************************************************************
વીરામચીહ્નો - 1

જે રીતે કાના-માતર વીનાનું લખાણ એનો અર્થ સમજવામાં તકલીફ આપે છે તે જ રીતે વીરામચીહ્નો વીનાનું લખાણ પણ ભલે, ઓછા પ્રમાણમાં, પણ વાચનમાં તકલીફ આપે છે. આ ચીહ્નો લખાણને સુસ્પષ્ટ, અને સાર્થક બનાવે છે. ઉદ્ગારવાચક ચીહ્નો જેવાં વીરામચીહ્નો તો લખાણને ખુબ જ અસરકારક બની રહે છે. ઘણી વાર તો વીરામચીહ્નો દ્વારા જ લેખકનું મોટાભાગનું કામ સફળ થઈ જાય છે. લખાણના આંતરીક તત્વ - હેતુ -ને બહાર લાવવામાં આ ચીહ્નો બહુ જ મહત્વની કામગીરી કરી જાય છે. ” ભાઈ, ક્યાં જઈ આવ્યા ?” આવું સાદું વાક્ય પણ જો, “ભા..ઈ ! ક્યાં જઈ આવ્યા ?!!” આ રીતે લખવામાં આવે તો કશું જ સમજાવ્યા વીના ઘણું બધું સમજાવી જાય છે !

ટુંકમાં વીરામચીહ્નો એ વાક્યની શોભા તો છે જ પણ લખાણની સાર્થકતા પણ એના ઉપયોગમાં રહેલી છે.

વીરામચીહ્નો કેટલાં અને કયાં કયાં સ્થાને ?

**  વીરામચીહ્નો એટલે વાક્યોમાંનાં અટકવાનાં સ્થાનો;
**  વીરામચીહ્નો  વાક્યમાંના ઘટકોનો એકબીજા સાથેનો સંબંધ દર્શાવે છે. સળંગ વાક્યમાં અનેક પ્રકારના ટુકડાઓ પડતા હોય છે. આ ટુકડાઓનો એકબીજા સાથેનો સંબંધ વીરામચીહ્નોથી જણાય છે. એમના મુખ્ય ચાર પ્રકારો આ રીતે પણ જોઈ શકાય :
**  1]  પુર્ણવીરામ, અલ્પવીરામ, અર્ધવીરામ અને ગુરુવીરામ આટલાં વીરામચીહ્નો વાચનમાં અટકવાની જુદી જુદી કામગીરી નીર્દેશે,સમજાવે છે. જ્યારે
**  2]  પ્રશ્નાર્થચીહ્ન, ઉદ્ગારચીહ્ન એ બંને વાક્યમાંના પ્રશ્નને કે જુદા જુદા ભાવને પ્રગટાવવા માટે વપરાય છે. તો -
**  3]  એક અને બબ્બે અવતરણચીહ્નો વાક્યમાંનાં વીશેષ પદોને અલગ પાડીને (હાઈલાઈટ કરી) બતાવે છે. ઉપરાંત કોઈનાં વાક્યો - અવતરણોને ઉદ્ઘૃત (ક્વોટ) કરી આપે છે. ઉપરાંત -
**  4]  લઘુરેખા અને ગુરુરેખા બન્ને સમાસી શબ્દો તથા શબ્દો-વાક્યોના અર્થ, વીસ્તાર કે સમજુતી સ્પષ્ટ કરી આપે છે. હવે આપણે એ બધાંને એક પછી એક જોઈએ.
પુર્ણવીરામ : (.)

** ગુજરાતીની વાક્ય રચનામાં છેલ્લે સામાન્યરીતે ક્રીયાપદ આવતું હોય છે. પુર્ણવીરામ એ એના નામ મુજબ વાક્યનો હેતુ પુરો થયાની નીશાની છે. છેલ્લે આવતું ક્રીયાપદ કે અંતીમ પદ જ્યારે તે વાક્યના અર્થને કે હેતુને પુરેપુરો સમજાવી દે ત્યારે પુર્ણવીરામ આવે છે. આ ચીહ્ન કદી પણ વાક્યમાં અધવચ્ચે કે અધુરા અર્થે આવતું નથી.
** લાંબાં નામો કે વીગતોને ટુંકમાં મુકવા માટે પણ આ ચીહ્ન વપરાય છે : અ.સૌ. / ન.પ્ર. બુચ વગેરે.
અલ્પવીરામ : (,)

આ ચીહ્ન વાક્યમાં ગમે ત્યાં અને ગમેતેટલી વાર આવી શકે છે. વાક્યના કર્તા અને ક્રીયાપદની વચ્ચે એકથી વધુ નામો, વીશેષણો, ક્રીયાપદો કે પછી અનેક રીતની વસ્તુઓ-સ્થીતીઓ આવે અને એને ક્રમશ: દર્શાવવાની થાય ત્યારે દરેકને લાઈનબંધ મુકીને અલ્પવીરામ દ્વારા રજુ કરવામાં આવે છે.
**  દા.ત. “આજે મારે શાક, પુસ્તકો, પેંસીલ-પેનો, પોસ્ટકાર્ડ્ઝ અને સીવાઈ ગયેલાં કપડાં પણ લઈને જ ઘેર આવવાનું છે.”(આ બધી વસ્તુઓની યાદી થઈ; બીજા અર્થમાં એ બધાં નામ-પદો છે. એને સાથે મુકવાનાં હોઈ અલ્પવીરામની જરુર ઉભી થઈ હતી. 
**  એવી જ રીતે એકથી વધુ પરીસ્થીતીઓ પણ આવે ત્યારે પણ અલ્પવીરામ આવે છે. જેમકે, “ગઈ કાલે મારે એક બાજુ મહેમાનો, શાળાનું કામ, છોકરાંના હોમવર્કની તૈયારી, વારંવાર આવતા ટેલીફોન અને ઓચીંતાનો પડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો એમ બધું જ ભેગું થઈ જતાં બાર ક્યારે વાગી ગયા, ખબર જ ન રહી !” ( આ વાક્યમાં એકથી વધુ પરીસ્થીતીઓની યાદી છે.)
પરંતુ ખાસ યાદ રાખો કે આવા દરેક શબ્દોમાંના છેલ્લા શબ્દ પછી અલ્પવીરામ આવે નહીં. જેમકે નીચેના વાક્ય, “તેમના કુટુંબમાં બધાં સમજુ, શાણા..” પછી ને,અને,છતાં,પણ જેવા શબ્દો આવવાના હોય એટલે શાણા પછી અલ્પવીરામ ન જ આવે. 

**  વીશેષણોમાં : “તેમના કુટુંબમાં બધાં સમજુ, વીવેકી, શાણા ને શાંત જણાય છે.”
**  ક્રીયાપદોમાં : “એમનો કામવાળો કામ કરે, દારુ પીએ, જુગાર રમે, ગમે ત્યારે ઝઘડી પણ પડે…”
** 
જ્યારે કોઈને સંબોધન કરવાનું થાય ત્યારે પણ જેમકે,” રામુ, આટલું મારું કામ કરી દે.”
**  અવતરણચીહ્નો વાપરવાનાં આવે ત્યારે પણ ચીહ્ન શરુ થાય તે પહેલાં અલ્પવીરામ આવશે. દા.ત. રમેશે કહ્યું, “ચાલો આપણે કાર્ય શરુ કરીએ.” 
===============================================================
અન્ય ચીહ્નો અંગે આવતા હપ્તે.

                                        —–====0000====—-

સ્વર-વ્યંજન હપ્તો છેલ્લો.

**************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 6
–જુગલકીશોર.
***************************************************************  
ય થી ળ સુધીનાં વ્યંજનો અંગે…

ગયા હપ્તા સુધી આપણે મોટાભાગે ક થી મ સુધીના અક્ષરો અંગે ચર્ચા કરી હતી. આજે હવે કક્કાના બાકીના અક્ષરો ય થી ળ અંગે કેટલીક માહીતી લઈશું.
 
ક થી મ સુધીના અક્ષરોમાં આપણે જોયું કે સ્વરયંત્રને કંપીત કરતી ઉચ્છ્વાસની હવા ગળાથી લઈને હોઠ સુધીના વીવીધભાગમાં જીભ-હોઠ દ્વારા રોકાઈને અનેક ધ્વનીને/અક્ષરોનેઉત્પન્ન કરે છે. પરંતુ મ પછીના ય થી લઈને ળ સુધીના બધા જ અક્ષરોનો ધ્વની હવા ક્યાંય પણ ‘અટક્યા વીના’  ઉચ્ચારાય છે. ય, ર, લ, વ, શ, ષ, સ, હ અને ળ બોલતી વખતે હવા સાવ અટકતી નથી.  આ બધા અક્ષરો વ્યંજનો જ હોવા છતાં સ્વરની માફક કોઈને કોઈ જગ્યાએ થી હવાને પસાર થવા દઈને ધ્વની આપે છે.
 
આ બધા અક્ષરોમાંના કેટલાક અક્ષરો વખતે જીભનો આકાર બદલે છે; ક્યાંક જીભની બન્ને બાજુએથી તો ક્યાંક જીભની ઉપરના ભાગેથી હવા સરતી જ રહે છે. એટલે જ ય થી લઈને ળ સુધીના અક્ષરોને અલ્પપ્રાણ-મહાપ્રાણ રુપે કે ઘોષ-અઘોષ રુપે આગળના અક્ષરો સાથે લીધા નથી. વળી આ અક્ષરોની રચનામાં એક બીજો પણ તફાવત છે જે ધ્યાન ઉપર તરત જ ચડે છે.
 પ્રથમ ભાગના કથી મ સુધીના અક્ષરો એકલા ઉચારી જ શકાતા નથી. એમાં સ્વરને ઉમેરવામાં ન આવે ત્યાં સુધી એ સામા માણસને સંભળાતા જ નથી !! ક થે લઈને મ સુધીનો કોઈપણ અક્ષર  સ્વર ઉમેર્યા વીના ઉચ્ચારી જુઓ !! સામેના માણસને નક્કી વહેમ પડશે કે આ ભાઈ ( કે બહેન) બોલવામાંતોટડાય કે અચકાય છે ! જ્યારે ય થી ળ સુધીના અક્ષરોમાં સ્વર આપોઆપ ભળી જાય છે ને અક્ષરનો ઉચ્ચાર અટકતો નથી. 
 
આ જ કારણસર આ બીજા વીભાગના વ્યંજનોને તેઓ વ્યંજનો હોવા છતાં સ્પર્શવ્યંજનો , અલ્પ કે મહાપ્રાણ વ્યંજનો,  અનુનાસીક-સ્પર્શ વ્યંજનો, સંઘર્શી સ્પર્શવ્યંજનો, પાર્શ્વીક સ્પશ વ્યંજનો પ્રકંપી વ્યંજનો, થડકારવાળા વ્યંજનો કે અર્ધસ્વર-વ્યંજનો તરીકો ઓળખવામાં આવે છે !
 
આપણે જોયેલાં પાંચ સ્થાનોપર આવતા હવે પછીના અક્ષરોનાં સ્થ્આનો પહેલાં જોઈ લઈએ. આ સ્થાન હવે જાણીતાં થયાં જ છે:

કંઠ્ય સ્થાને આવતા અક્ષરો     :  (વ્યંજનો ) હ        (સ્વરો) અ તથા આ
તાલવ્ય સ્થાને આવતા અક્ષરો :    “   ય અને શ       ( ” )   ઈ
મુર્ધન્ય(દાંત -તાળવા વચ્ચે)    :    “    ર અને ષ         “     ઋ
દન્ત્ય                                          “    લ અને સ        “     –
ઓષ્ઠ્ય                                        ”       –                  ”     ઉ
દન્ત્ય+ ઓષ્ઠ્ય ભેળાં સ્થાને      :    ”        વ
કંઠ્ય  + તાલુ ના ભેળાં સ્થાને    :   “       –                 “    એ અને ઐ
કંઠ્ય  + ઓષ્ઠ્યના ભેળાસ્થાને    :   “      –                  ”    ઓ અને ઔ

ય થી ળ ના અઘોષ અક્ષરો       :   શ, ષ, સ, ળ
                       ઘોષ અક્ષરો       :   ય, ર, લ, વ, હ
—————————————————————
કેટલીક વધુ વીગતો :

1] સ્વરો ટુંકા અને જલદી ઉચ્ચારઈ જતા હોય ત્યારે તેને લઘુ અક્ષરો કહેવાય છે: અ-ઈ-ઉ
2] બાકીના બધા અક્ષરો લાંબા અને ઉચ્ચારમાં સમય લે છે તેને દીર્ઘ અક્ષરો કહે છે :આ-એ-ઓ
3] ઐ અને ઔ બંને સ્વતંત્ર સ્વરો નથી. તે અનુક્રમે અ + ય્  તથા અ + વ્  મળીને બને છે.
4] ઋ પણ  ર્ વ્યંજન +  ઉ સ્વર મળવાથી બને છે. 
5] સાંકડા અને પહોળા ઉચ્ચારો : એ અને ઍ  તથા ઓ અને ઑ (બોલવામાં વાપરીએ છીએ, લખવામાં નહીં)
 
” આપણો કક્કો ખરો ! ” એ મુહાવરો યાદ રાખીને આપણે એવું સ્થાપીત કરી શકીએ જરુર કે ગુજરાતીભાષાનો કક્કો એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા પછી પણ એમાં ભલે કેટલાક ફેરફાર પામ્યો હોય પણ એની શાસ્ત્રીયતા ધ્યાન ખેંચે છે અને એની વૈજ્ઞાનીક ગોઠવણી તાજ્જુબ કરી દેનારી છે. 

આપણે અહીં અટકીશું અને સ્વર-વ્યંજનોની વધુ વાતોમાં અટકી રહેવાને બદલે આગળ વ્યાકરણની કેટલીક વાતો પર જઈશું.

[ આ લેખમાળાના વાચકો જોતાં લાગે છે કે બહુ મોટી સંખ્યા એનો લાભ લેતી નથી છતાં મહેનતના પ્રમાણમાં ઠીકઠીક ક્લીકો થતી રહેતી હોઈ આ લેખમાળાને બંધ કરવા મન થતું નથી.  એટલું જ નહીં પણ કેટલાક સાવ નવા વાચકો એમાં ઉમેરાયા છે. સાવ નજીવી અને ક્ષુલ્લક માન્યતાઓથી પ્રેરાઈને પણ લેખમાળા અંગેનકારાત્મક  કોમેન્ટ્સ અગાઉની માફક અહીં પણ જોવા મળી છે છતાં આ વખતે આ શ્રેણી ચાલુ રાખવા મન કહે છે.  પણ અન્ય વાચકોનો ખ્યાલ કરીને મારા બ્લોગ પરથી કોમેન્ટ્સ વીભાગ બંધ કર્યો છે. જે કોઈને પણ પ્રશ્ન હોય તે ઈમેઈલથી પુછી શકશે.  વાક્યરચનાઓને બ્લોગ ઉપરથી સુધારવાનું પણ બંધ કરવું પડ્યું છે કારણ કે ઘણાંને — આ ભુલો જાહેરમાં બતાવાતી ન હોવા છતાં –  ગમ્યું નથી. બ્લોગ અંગેનાં રસદર્શનો કે વીવેચનો પણ પડતાં મુકવામાં આવ્યાં છે ! હવે કોઈને ન ગમે એવું એક પણ કામ હાથ પર લેવાની હીંમત નથી !!!  ક્ષમા યાચના સાથે, સૌને આટલી સ્પષ્ટતા કરું છું.

                                       —–=====०००००=====—–

અનુનાસીકો હવે ફક્ત મીંડા તરીકે જ રહ્યા છે !!

*************************************************************

ગુજરાતી વ્યાકરણના પાઠો : 5

–જુગલકીશોર. *************************************************************

અનુનાસીકો વ્યંજનો છે, અનુસ્વાર નથી.

ગુજરાતીમાં હ્રસ્વ ઈ-ઉ અને દીર્ઘ ઈ-ઉની ભુલો પછી બીજાનંબરે સૌથી વધુ ભુલો કદાચ આ બંને નાક સાથે સંકળાયેલાંઓને કારણે થતી હોય છે ! આપણું નાક કાપી લેનારાં આ બન્નેનો  ઉપયોગ સાચી રીતે કરવાનું થોડું અઘરું છે.  અનુસ્વારો જોડણીની દૃષ્ટીએ ભુલો કરાવે છે તે વાત સાચી છે પરંતુ આજે આપણે અહીં એને જોડણીના અનુસંધાને જોવાનાં નથી. આજે તો એને ફક્ત સમજવાનાં જ છે, કે એનું સ્થાન શું છે અને ક્યાં છે.  આપણે પ્રથમ જે રંગીન કોઠો જોયો તેમાં પાંચેય લાઈનોને છેવાડે આવેલા પાંચેય અનુનાસીકોને ઓળખ્યા હતા. તે અનુક્રમે ङ, ञ, ણ, ન અને  મ આટલાં છે. હવે જરા ધ્યાનથી સમજવાની અને યાદ રાખવાની વાત આવે છે. તેને બરાબર સમજી લેશો. 

આ પાંચેય અનુનાસીકો બોલાય ત્યારે નાકમાંથી પણ ઉચ્છ્વાસની હવા નીકળતી હોય છે. (એટલે જ તો એ અનુનાસીકો છે ને !) તમારામાંથી કોઈએ પ્રયોગ કર્યો હશે તો ખ્યાલ હશે કે નાક દબાવીને તેનો ઉચ્ચાર બરાબર થઈ શકતો નથી.
પ્રથમ લાઈનના કોઈપણ અક્ષર સાથે જેમકે અં/ પંખો/ ભંગ/ લંઘન માં પ્રથમલાઈનના અનુનાસીક આવે છે; એ જ રીતે, મંચ/ મંછા/કુંજ અને ઝંઝામાં બીજી લાઈનના અનુનાસીકો આવે છે;  કંટક/ કંઠી/ ઠંડક/ સાંઢમાં ત્રીજી લાઈનના અનુ.આવે છે; દંત/ કંથ/ મંદ/ અને અંધમાં ચોથી લાઈનના અનુનાસીકો આવે છે જ્યારે કંપ/ હંફાવવું/ અંબા અને રંભામાં પાંચમી લાઈનના અનુનાસીકો આવે છે.

 હવે તમે જોઈ શકશો કે આમાં  બધી જ લાઈનોના બધા જ પ્રકારના અનુનાસીકો દરેકના સ્થાન પર આવી ગયા છે. અને એમાંનો કોઈ શબ્દ નાક બંધ કરીને સ્પષ્ટ બોલી શકાતો નથી.  કારણ કે એની શરત જ એ છે કે નાકમાંથી પણ સ્પંદીત હવા નીકળવી જ જોઈએ.  

હવે એક બીજી મહત્ત્વની વાત. આ બધા જ અનુનાસીકો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા હતા અને ગુજરાતીમાં જ્યારે એનો ઉપયોગે થયો ત્યારે પ્રથમ ત્રણે લાઈનોના અનુસ્વાર ङ,  ञ અને ણ્  ને લેવાનું આપણે ધીમે ધીમે છોડી દીધું હતું અને કેવળ ન્ અને મ્ ને જ જાળવ્યા હતા. પરંતુ ધીમે ધીમે સ્કુલનાં બાળકો બોલાતા ઉચ્ચારના ભેદ સમજી ન શકે અને ભુલો ન કરે તેથી હોય કે ગમે તે કારણે પણ પાંચેય લાઈનોના અનુનાસીકોને અક્ષરની માથે મીંડું કરીને જ લખાતા થયા. આને કારણે કક્કામાં એ પાંચેય દેખાડાતા હોવા છતાં એનો વપરાશ શીખવાડાતો બંધ થયો. ( આ બાબતની ઐતીહાસીકતામાં આપણે નહીં જઈએ. પરંતુ સરકારી અભ્યાસક્રમ મુજબ આ અનુનાસીકોને લખાતા નથી એટલું જ આપણે શીખવા પુરતું.) વળી અમે જ્યારે એમ.એ.માં ભણતા ત્યારે ભાષાવીજ્ઞાનના આપણા વીદ્વાન અધ્યાપક એવા શ્રી શાંતીભાઈ આચાર્ય અમને  ङ અને ञ બોલાવતા ત્યારે અમારામાંથી ભાગ્યે જ કોઈ સાચો ઉચ્ચાર આ બન્નેનો કરી શકતા !! અમે થાકી જઈએ પણ  ङ તો બોલી શકાતો જ નહીં. આ તો થઈ એક આડવાત પણ આ પાંચેયમાંથી પ્રથમ ત્રણને તો આપણે છોડ્યા પણ બાકીના બન્ને ન્ અને મ્ ને ય દેશવટો દઈ દીધો છે. હવે તો ફક્ત માથે મીંડા તરીકે જ એમનું અસ્તીત્વ રહ્યું છે.

આ થઈ અનુનાસીકોની વાત. હવે પછી કરીશું અનુસ્વારોની વાત….પરંતુ તે તો હવે આવતે હપ્તે જ…!                                                                    

                                              —===00000===—

અનુનાસીકો આભડછેટ પાળતાં મરજાદીઓ છે !!

***************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 4
–જુગલકીશોર.
***************************************************************
સહયોગીઓ,
ગયે અંકે આપણે કક્કાની આડી-ઉભી લાઈનોની વાત કરી હતી. આપણે જોઈશું તો ઉચ્છ્વાસમાં નીકળતી હવા સ્વરતંત્રીઓને ધ્રુજાવીને ધ્વની તો ઉત્પન્ન કરે છે પરંતુ હવા નીકળતાં નીકળતાં તે જ્યાં પણ જીભ કે હોઠ વગેરેના સહારે અટકે છે ત્યાંથી અલગ અલગ ધ્વની આપે છે. જે સ્થાને હવાની અટકાયત થઈ હોય એ સ્થાનના નામ ઉપરથી એ ધ્વનીઓનાં નામ પડ્યાં છે. જેમ કે कङठ्य, तालव्य, मुर्धन्य, दन्त्य, ओष्ठ्य વગેરે. ઉપરથી નીચે આવતી લાઈનો તપાસશો તો ખ્યાલ આવશે કે સ્વરયંત્રથી હોઠ સુધીના હવાના માર્ગનો ક્રમ પણ બરાબર જળવાય તેનું ધ્યાન આ વ્યાકરણીઓએ રાખ્યું છે.

આડી લાઈનોમાં આવતો ક્રમ પણ, ગયા અંકમાં રંગીન અક્ષરોમાં બતાવ્યા મુજબ, પહેલાં અઘોષ-અલ્પપ્રાણ, પછી અઘોષ-મહાપ્રાણ, ત્યાર બાદ ઘોષ-અલ્પપ્રાણ અને પછી ઘોષ-મહાપ્રાણ. આ જ ક્રમે, પાંચેય લાઈનોના અક્ષરોને પુરી શાસ્ત્રીયતાથી રાખીને ગોઠવવામાં આવ્યો છે.

હવે આજે આપણે જોઈ લઈએ કે ઉભી લાઈનોમાંની છેલ્લી લાઈનમાંના અક્ષરોને પણ આગળ હમણાં જ  બતાવ્યું તેમ હવાના અટકવાનાં સ્થાન મુજબનાં નામો આપ્યાં છે એ જ નામો લાગુ પડે છે. આ પાંચમી ઉભી લાઈન કોની છે એ હવે જોઈએ.
આ લાઈનમાં આવતા પાંચેય અક્ષરો અનુસ્વારો -અનુનાસીકો છે. એ પાંચેય અક્ષરોની જમાતની મહત્વની શરત એ છે કે એનો ઉચ્ચાર નાક ખુલ્લું હોય તો જ થઈ શકે ! અર્થાત્ કોઈપણ ઉચ્ચાર વખતે જો અનુનાસીકને સાથે રાખવાનો હોય તો નાક ખુલ્લું હોવું જ જોઈએ. (શરદી હોય ત્યારે આ વાત વધુ સારી રીતે સમજાશે !) અનુસ્વાર સાથેનો કોઈપણ ધ્વની નાક બંધ રાખીને સ્પષ્ટ રીતે બોલી શકાતો નથી. [પ્રયોગ કરવાની છુટ છે ! ]

એક વાત યાદ રાખીએ કે કોઈ પણ અનુસ્વારનો સંબંધ એ જે અક્ષરની ઉપર વાંચવામાં આવે છે તેની સાથે નહીં પણ એની પછીના અક્ષર સાથે હોય છે. જેમકે, રંભા કે પંકજમાં જોવા મળતા અનુસ્વારો અનુક્રમે ર કે પ સાથે નહીં પણ ભા અને ક સાથે ગણાય છે. દા.ત. રમ્ભા, પङકજ.

આ અનુનાસીકો પાછા બહુ જ મરજાદીઓ છે ! એ દરેક અનુનાસીક [આપણે સમજવા ખાતર એને 'અનુસ્વાર' જ કહીશું] પોતાની લાઈનમા (પંગતમાં) બેઠેલા અક્ષરો સાથે જ કામ કરવાની છુટ આપે છે. એક આડી લાઈનનો અનુસ્વાર  બીજી કોઈપણ આડી લાઈનના અક્ષર સાથે બેસવા તૈયાર થતો નથી ! એ આવી આભડછેટ રાખે છે.  [ આ વાત ફક્ત કાન સાથે જ લાગુ પડે છે; કાગળ ઉપર આપણે હવે એને લખતાં નથી ] જુઓ : 

કંઠ્ય લાઈનનો અનુસ્વાર ફક્ત ક-ખ-ગ-ઘ સાથે જ કામ કરશે;
તાલવ્ય લાઈનનો અનુસ્વાર ફક્ત ચ-છ-જ-ઝ સાથે જ
જામશે;
મુર્ધન્ય લાઈનના અનુસ્વાર નું ફક્ત ટ-ઠ-ડ-ઢની સાથે જ
ઠેકાણું પડશે;
દંત્ય લાઈનનો અનુસ્વાર ફક્ત ત-થ-દ-ધની સાથે જ ધામા નાખશે, જ્યારે
ઓષ્ઠ્ય લાઈનનો અનુસ્વાર ફક્ત પ-ફ-બ-ભ અક્ષરોની સાથે જ ભળશે !!

તમે અનુસ્વારવાળો કોઈ પણ અક્ષર ઉચ્ચારી જુઓ. એ ઉચ્ચાર એની લાઈનના અનુસ્વારથી જ ઉચ્ચારાશે !! પ્રથમ લાઈનના ‘પંકજ’ શબ્દનો અનુસ્વાર સાંભળો; ‘ખંખેરવું’ શબ્દ સાંભળો –કે પછી બીજી લાઈનના ‘કાંચન’ કે ‘મંછા’ શબ્દો સાંભળો — ત્રીજીના ‘કંટક’ કે ‘મંડળ’ સાંભળો — કે ચોથી લાઈનના ‘પંથ’ કે ‘મંદ’ અને પાંચમીના ‘ચંપલ’ અથવા ‘અંબર’ શબ્દો સાંભળશો તો ખ્યાલ આવશે જ કે એ બધા જ અનુસ્વારો પોતપોતાની લાઈનના અક્ષરો સાથે જ સંબંધ રાખે છે !! ચમ્પલને ચન્કલ બોલાય નહી; એમ જ કન્ઠ કે કમ્ઠ બોલાય નહીં…

પરંતુ આપણે કાળક્રમે પ્રથમ ત્રણેય અનુનાસીકો લખવાનું છોડી દીધું છે કારણ કે આપણી ગુજરાતી ભાષા સંસ્કૃત નામની દાદીમાની દીકરીની દીકરીની દીકરીની દીકરીની દીકરી છે !!!!! આપણે ङ, ञ તથા ણને ઉપરાંત ન અને મ ને પણ અક્ષર ઉપર મીંડું લખીને ચલાવીએ છીએ.
***********************************************************************--વધુ આવતે અંકે…
              —===00===—

કક્કાને સમજવા મથો, કોઈ ન જુએ એમ !!

ઘોષ-અઘોષ તથા અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોની અદ્ભુત ગોઠવણી !!
–જુગલકીશોર.  
ગયા લેખમાં આપણે આપણા કક્કા માટે જે ગૌરવની વાત કરી હતી તેના અનુસંધાનમાં આજે એક સરસ વાત મુકી રહ્યો છું. આ વાત છે આપણા કક્કાની ગોઠવણી પાછળનું શાસ્ત્રીય સ્વરુપ.
આ કક્કો જે રીતે બોલાય છે તેનો ક્રમ જોઈશું તો આપણને સાચ્ચે જ આશ્ચર્ય થશે. આ કક્કામાં પાંચેય લાઈનોની આડી-ઉભી રચનાઓમાં ત્રણ મહત્ત્વના વીભાગોનો સમાવેશ થાય છે. એક મુખ્ય વીભાગ છે ઘોષ-અઘોષ વ્યંજનોનો; બીજો છે અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોનો અને ત્રીજો છે અનુસ્વારોનો. આમાંના પ્રથમ બન્નેને આજે એકસાથે જોઈ લઈએ….
અઘોષ                    સ-ઘોષ
==========/  =========/      
અલ્પ-  મહા-    અલ્પ-   મહા- 
પ્રાણ    પ્રાણ     પ્રાણ      પ્રાણ     અનુસ્વાર
====/====/=====/=====/=======/
        ખ                 ઘ           ङ                  [કङ्ઠ્ય ]
        છ       જ                     ञ                 [તાલવ્ય ]
ટ                         ઢ            ण                 [મુર્ધન્ય ]
ત        થ       દ                     न                 [દંત્ય ]
પ         ફ                            म                 [ઓષ્ઠ્ય ] 

સહપાઠીઓ, આ કોઠો જ આપણને મુગ્ધ બનાવી મુકનારો મેં કહ્યો હતો ! એને જરા ઝીણવટથી જોઈને યાદ રાખવા પ્રયત્ન કરશો તો મઝા પડશે.  

સૌથી પ્રથમ જોઈએ તો આ પાંચ પાંચ અક્ષરોની પાંચેય આડી લાઈનો જીભની અને હોઠની અટકાયતને કારણે ઉચ્ચારાતા વ્યંજનોની છે જે આપણે જોઈ ગયાં છીએ. હવાની અટકાયત જ્યાં જ્યાં થાય છે તે સ્થાનના નામ પ્રમાણે તે તે અક્ષરોને ઓળખવામાં આવે છે.  

પરંતુ ઉભી લાઈનો જે છે તે દરેક ઉભી લાઈનમાં આવેલા અક્ષરોના કુલ ત્રણ પ્રકારો બતાવે છે.  

પ્રથમ બે ઉભી લાઈનો અઘોષ અક્ષરોની છે જેને આપણે બોલ્ડ કર્યા નથી. બીજી બે લાઈનો સ-ઘોષ અક્ષરોની છે જે બોલ્ડ અક્ષરોમાં છે. આ થયો પ્રથમ પ્રકાર. ઘોષ અને અઘોષ અક્ષરોનો.

બીજો પ્રકાર છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ અક્ષરોનો. બંને ઉભાં ખાનાંમાં [ઘોષ ખાનું અને અઘોષ ખાનું] પ્રથમ ઉભી લીટી કે જે ઈટાલીક અક્ષરોમાં છે તે અલ્પપ્રાણ અક્ષરોની છે જ્યારે બીજી ઉભી લીટીના અક્ષરો કે જે ઈટાલીકમાં નથી. આ બંને મુખ્ય ખાનાંઓમાંની બન્ને પ્રથમ લાઈનોનો રંગ એક સરખો છે વાદળી છે જ્યારે બીજી બન્નેનો રંગ લાલ રંગનો છે.

આ કોઠાનો ત્રીજો પ્રકાર અનુસ્વારોનો છે જેને વીષે આત્યારે વાત કરવાની નથી.

અઘોષ - સઘોષ અક્ષરો :

કોઈપણ અક્ષરને ઉચ્ચારતી વખતે કાનમાં આંગળીઓ ભરાવીને જરા મોટેથી બોલશો, સહપાઠીઓ ? જુઓ, અઘોષ ખાના નીચેના કોઈ પણ અક્ષરને કાનમાં આંગળીઓ ભરાવીને બોલો અને ઘોષ ખાનાના પણ કોઈપણ અક્ષરને  એ જ રીતે ઉચ્ચારી જુઓ. તમને બંને વચ્ચે સ્પષ્ટ ભેદ સંભળાશે !! સઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે ગળાનો હૈડીયો વધુ ઘેરો અવાજ કાઢશે જ્યારે અઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે હૈડીયો શાંત જેવો જણાશે ! આ બે ભેદને લીધે બે ભાગ પડ્યા તે સમજાયું હશે.
અલ્પપ્રાણ - મહાપ્રાણ :

એ જ રીતે હવે એક નવી રમત કરી જુઓ : અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની એક જ રંગની આડી લાઈનમાંથી કોઈપણ  અલ્પપ્રાણ વીભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ક ઉચ્ચારો. હવે ક ને જ ઉચ્ચારવાનો છે પરંતુ આ વખતે ક ને ઉચ્ચારતી વખતે ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકવાની છે.

યાદ રાખો કે બોલવાનો તો છે ફક્ત ક ! પરંતુ પહેલી વાર સાધારણ હવા ફેંકવાની છે જ્યારે બીજી વાર હવા જોરથી ફેંકવાની છે !! એ જ રીતે ચ નો ઉચ્ચાર કરી જુઓ. એક વાર ઓછી હવા ફેંકો અને બીજી વાર વધુ અને જોરથી હવા ફેંકતાં જ ચ નો ઉચ્ચાર કરો.

તમે ગમે તેટલી કોશીશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે તમે ક કે ચ બોલી જ નહીં શકો !! હવા વધુ ફેંકતાં જ ક નો ખ થઈ જશે અને ચ નો છ થઈ જ જશે !!! આ છે મહાપ્રાણનો જાદુ !

અહીં હું અટકું છું. પણ આ પાંચેય આડી-ઉભી લાઈનો શા માટે ગોઠવાઈ છે ?! શા માટે ક પછી ખ ને મુક્યો છે, અને ચ પછી છ ને જ મુક્યો છે ?! ક અને ગ ની તથા ખ અને ઘ ની વચ્ચે શું સંબંધ છે ?!

આ બધા સવાલોની ચર્ચા આવતે વખતે ! ત્યાં સુધી કચ્ચા પાપડ, પક્કા પાપડની આ રમત સૌ કોઈ [અલબત્ત કોઈ ન જુએ એ રીતે] કરશો તો મારી આ મહેનત ફળશે. 

                                  *******=======*******

વ્યંજનો સદાય સ્વરના ઓશીયાળા !!

ગુજરાતી વ્યાકરણના પાઠો : [2]

–જુગલકીશોર.
***************************************************************************************

સ્વર અને વ્યંજન-ભેદ


સ્વર એ સ્વતંત્ર ધ્વની છે અને તેના ઉચ્ચાર માટે એ કોઈનો ઓશીયાળો નથી. કોઈ પણ સ્વર સ્વતંત્ર રીતે બોલી શકાય છે.

જ્યારે ક્ થી લઈને ળ્  સુધીના બધા જ વ્યંજન સ્વતંત્ર રીતે બોલી શકાતા નથી ! વ્યંજનને પુર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો જ પડે છે. આપણે જ્યારે ક કે ન બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે. ‘કાન’ એવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા ન્ + અ એમ ઉચ્ચાર કરવાના થાય છે. અર્થાત્ ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલો કદી ઉચ્ચારી શકાતો નથી ! તમે પ્રયત્ન કરી જુઓ, અ ને ભેળવ્યા વીના આખો ક બોલી જુઓ !! જીભ કંઠ પાસે જ અટકી જશે !

સ્વરની બીજી ખુબી જે છે કે તેના ઉચ્ચાર વખતે હવા ક્યાંય પણ રોકાતી નથી તેને જ લીધે સંગીતમાં જ્યારે આલાપ લેવાના આવે ત્યારે સ્વરનો જ આશરો લેવાય છે કારણ કે એને ઉચ્ચારવામાં હવાને ક્યાંય કરતાં ક્યાંય અટકાયત થતી જ નથી.

આપણે જેને કક્કો કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્શ અને ગ્ન હોઈ એની ગણના સ્વતંત્ર વ્યંજનો તરીકે થતી નથી. એ જ રીતે અને એ બંને સ્વરો પણ અ + ઇ અને અ + ઉ મળીને થતાં હોઈ એને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી.

હવે આપણે જેને બારાખડી [બાર અક્ષરી] કહેતાં આવ્યાં છીએ તે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં. ક: એ બાર અક્ષરો પણ શીખવા પુરતા જ છે. આપણા આઠમા-નવમા ધોરણના ગુજરાતી અભ્યાસક્રમ મુજબ સ્વરો આઠ જ હોઈ બારાખડીને બદલે આઠાખડી કહી શકાય.

કક્કાને જે રીતે શીખવવામાં આવે છે તે કોઠો જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણી માતૃભાષા માટે અત્યંત ગૌરવ અનુભવી શકીશું !!! જાણવું છે ? એ કોઠા વીષે ? જાણવી છે એની અજબની શાસ્ત્રીયતા ? તો જુઓ –

ક | ખ | ગ | ઘ | ङ     [કંઠના સ્થાને જીભ અટકે ]
ચ | છ | જ | ઝ | ञ    [તાળવા પાસે જીભ અટકે ]
ટ  | ઠ | ડ | ઢ |  ણ     [મુર્ધ સ્થાને જીભ અટકે ]
ત | થ | દ | ધ | ન     [દાંતના સ્થાને જીભ અટકે ]
પ | ફ | બ | ભ | મ     [ હોઠના સ્થાને હવા અટકે ]

અહીં સુધી તો બરાબર છે પણ ખરી મજા તો દરેક લાઈનમાંના પાંચેય અક્ષરોની જે ગોઠવણી થઈ છે તેની શાસ્ત્રીયતા છે. એની વીગતો જાણીને તો દંગ જ થઈ જવાય તેવું છે !! આ એક-બે બાબતોમાં જ આપણી ભાષા અંગ્રેજી વગેરે કરતાં કેટલી બધી શાસ્ત્રીય રીતે ગોઠવાઈ છે તેની જાણ થાય છે……
પરંતુ તે હવે આવતે અંકે.
**************************************************************************************

Next Page »


નૅટની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ ; માળાના મણકા જેવાં,સ્નેહના બંધને બહુ!

વાચકોની સંખ્યા :

  • 9,845 વાચકો

વધારે વંચાતી ટપાલ

  • None

મહીનાવાર કુલ લખાણો

તારીખવાર લખાણો શોધો

May 2008
M T W T F S S
« Mar    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031