વીરામચીહ્નો વીષે કેટલુંક જાણવા જેવું :
————————————————————————————————-
વ્યાકરણના પાઠો — 11.
વર્તમાન સમયમાં એક વલણ એવું છે કે લખાણમાં શક્ય એટલાં ઓછાં વીરામચીહ્નો મુકવાં. એકપણ વીરામચીહ્ન ન મુક્યું હોય એવી રચનાઓ પણ મળે છે ! દા.ત. નલિન રાવળ કૃત કાવ્ય ‘એકાંત’માં એકપણ વીરામચીહ્ન નથી. વીરામચીહ્નો ઓછાં વાપરવાનું વલણ છતાં આજેય લખાણમાં એનું મહત્ત્વ જરાય ઓછું નથી….
જે વીરામચીહ્નો આપણે આજે વાપરીએ છીએ તે મુળ આપણાં નથી !! આરંભકાળમાં તો આપણે ત્યાં લખાણમાં વીરામચીહ્નો હોવાનું જણાયું નથી. લખાણમાં તો તે બધાં પાછળથી આવ્યાં છે. ઈ.સ.પુર્વે ત્રીજી સદીના અશોકના શીલાલેખમાં એકપણ ચીહ્ન નથી. ઘણા સમય પછી પુર્ણવીરામની જગ્યાએ ઉભી લીટી (|) કરવાનો રીવાજ થયો.
તો સવાલ એ થાય કે વીરામચીહ્નો વગર કઈ રીતે ચાલતું હશે ?!
જવાબમાં જાણીને આશ્ચર્ય થાય એમ છે. આપણે ત્યાં સંસ્કૃત કે પ્રાકૃતમાં લીપીબધ્ધ થયેલા ગ્રંથો જોતાં ચોક્કસ જણાશે કે એ ચીહ્નોની જરુર જ ન પડે એવી ભાષાકીય રચના જ નક્કી થયેલી હતી !! નવાઈ લાગે છે ને ?! પણ જુઓ આ નીચેની વીગતો, તાજ્જુબ થઈ જશું :
એ વખતની ભાષાઓમાં ચીહ્નોને બદલે એવાં અનેક અવ્યયો જ હતા કે બરાબર તે નીશાનોની જ કામગીરી કરી આપે. આ અવ્યયો વીરામચીહ્નોના ભાવને સુચવવા માટે સક્ષમ હતા.
જેમ કે, ચ, વા કે તથા જેવા અવ્યયો અલ્પવીરામની ગરજ સારે છે. ‘અથવા’ એ અર્ધવીરામસુચક છે. ‘ઇતિ’ શબ્દ પુર્ણવીરામનો ભાવ દર્શાવે છે. પ્રશ્ન સુચવવા માટે ‘કિં’, ‘અહોસ્વિત્ ‘. ‘ઉત’, ઉતસ્વિત્ ‘, ‘કિં’, ‘વા’ વગેરે અનેક અવ્યયો હતા. ઘટકસુચક ચીહ્નને બદલે ‘કિન્તુ’થી બરાબર કામ સરે છે. ‘અથ’ શબ્દ કંડીકાનો આરંભ સુચવે છે, જ્યારે ‘અપિ ચ’, ‘કિન્ચ’ વગેરે અવ્યયો કંડીકાની અંદર આવતા વીભાગોને કે વીષયાન્તરને જ નહીં, જુદી જ કંડીકાનો નીર્દેશ કરે છે. ‘તથાહિ’ જેવા અવ્યયો દર્શકચીહ્ન તરીકે કામ આપે છે તો ‘તદુક્તં‘, ‘તથા ચ’, ‘યથા’ વગેરે અવતરણચીહ્ન રુપે કાર્ય કરે છે. જ્યારે ‘યચ્ચોક્તં’, ‘યદપ્યુક્તં‘, ‘યદ્યપિ’વગેરે પદો આગળ આવી ગયેલા વીષયોની યાદી આપે છે. વીસ્મય કે આશ્ચર્ય માટે ‘અહો’, તથા ‘હો’નો ઉપયોગ થતો હતો જ્યારે ‘રે’અને ‘અરે’શબ્દનો ઉપયોગ સંબોધન સુચવે છે. હાસ્ય માટે પણ ‘અહો’ વપરાતો.
આ ઉપરાંત ‘હિ’, ‘યત:’, ‘તત:’, ‘ઇત:’, ‘તદ્યથા’, ‘ભવતુ નામ’, ‘અસ્તુ નામ’,'જાતુ’, ‘ચેત્ ‘, ‘તર્હિ એવં’ વગેરે અવ્યયો તે તે પ્રકારના વાક્ય વીભાગને સુચવે છે…..‘આહુ:’, ‘પ્રેરયન્તિ’ વગેરે ક્રીયાપદો કોઈ પણ પક્ષની શરુઆતને બતાવે છે જ્યારે ‘અત્ર પ્રતિવિધિયતે’, ‘અત્રોચ્યતે’ જેવાં ક્રીયાપદો કોઈ પણ પક્ષના પ્રતીવાદની શરુઆત દર્શાવે છે.
આમ જોવા જઈએ તો આ બન્ને ભાષાઓમાં અનેક અવ્યયો છે જે દરેક પ્રકારના વાક્યવીભાગને જણાવવાને માટે પુરતાં હતાં. એટલા જ માટે અભ્યાસીઓ અને અવ્યયોના મર્મને જાણનારાં કદી પણ એકધારા વીભાગ વીનાના લખાણને જોઈને ભરમાતા કે મુંઝાતા નથી….
—————————————————————————————————–
ગુજરાત વીદ્યાપીઠ પ્રકાશીત ‘ગુજરાતીમાં વીરામચીહ્નો’ નામક પુસ્તીકાને આધારે સાભાર.
વાચકોના પ્રતીભાવ :