આ દિલાંજલી !
–જુગલકીશોર
૧
આદિલ ગયા –
ભરચોમાસે કોરી
નદીએ રેત.
૨
આદિલ ગયા –
નગર મૌન; શબ્દો
ગઝલે દ્રવે.
૩
વતન માટે
રચી ગઝલો; હવે
‘વતન’ વાટે !!
૪
આદિલ ગયા
ગઝલે ભીનાં સૌનાં
આ દિલ, રહ્યાં !!
૫
કબર પર
ફુલોમાં ગઝલના
મહેકે શબ્દો.
Filed under: અણુકાવ્યો
–જુગલકીશોર
Filed under: અણુકાવ્યો