દલીત–જનવાદી રચનાઓની પ્રસાદી
(નયામાર્ગ તા. ૧, ૧૧, ૦૯ના અંકમાંથી સાભાર)
*************************************************
આધાર હોય છે
તેના રચેલ શબ્દને આકાર હોય છે
આ વેદના ભલેને નીરાકાર હોય છે.
તેને નકારનાર નકારે ઉજાસને
સમતા સમાનતા વીના અંધાર હોય છે.
મુક્કી નથી ઉગામતા તો માર હોય છે
સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે
હારી નથી જવાના ચરણ થાકવા છતાં
પ્રત્યેક શ્વાસમાં નવો રણકાર હોય છે
ને એટલે તો કોઈ નીરાધારમાં નથી
સૌને ક્ષીતીજ પારનો આધાર હોય છે
– એ.કે.ડોડીયા.
*****
તાળું
ન સાંકળ ચડાવી અને માર્યું તાળું,
ક્ષીતીજથી ક્ષીતીજ એમ વીસ્તાર્યું તાળું !
અવીશ્વાસ પરણ્યો નરી લાલસાને,
પુરા દીવસે એક અવતાર્યું તાળું !
વગર આંકડાની રકમ એક ધારો !
તમે એમ બોલ્યા ને મેં ધાર્યું તાળું !
ઝરુખેથી બોલ્યા – પધારો, પધારો !
હતું બારણે કીંતુ અણધાર્યું તાળું !
મને મેં જ ચહેરાનો પર્યાય પુછ્યો !
વીચારોને અંતે મેં ઉચ્ચાર્યું – તાળું !
તમે જોડણીદોષને ‘ખ્વાબ’, જીવ્યા !
તમે તો ઉધાર્યું, ન ઉધ્ધાર્યું તાળું !
– મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
*****
हमारा
गला हमारा, गाना उनका
पेट हमारा, खाना उनका
सडक हमारी, कारें उनकी
संसद में सरकारें उनकी
अक्षय जैन
****************************
ચાલો અંધકાર મીટાવી દઈએ આપણે
ખરી દીવાળી મનાવીએ આપણે !
***
ઈસુને ખીલા જડેલા છે,
છતાં લોકોને મળેલા છે.
અરે ! ખીલા તો શું આ લોકો
દુનીયા આખીને નડેલા છે !
***
આજ નહીં તો કાલ એકતાના તારે બંધાવું પડશે,
સંગઠીત થઈ અતુટ સાંકળે ગુંથાવું પડશે.
– માનસીંહ ચાવડા. (‘હવે તો જાગો !’માંથી)
Filed under: પસંદગીનું પદ્ય
આ તણખા પેટાવી શકે છે અંતરપ્રેરણા અને બદલાવી શકે છે બહારની દુનિયાને તેવા છે..ખુબ ચુનંદી રચનાઓ અને ગઝલો માણવા મળી.
દિલીપ