ઉંઝા જોડણીની પાયાની વાત.

[સન્ડે મહેફીલની ઉંઝાજોડણી જોઈ ઘણા મીત્રો પુછે છે કે આ ઉંઝાજોડણી છે શું ? દરેકને અલગ અલગ લખવાને બદલે, મીત્ર બળવંત પટેલે તે વાત સંક્ષેપમાં લખી મોકલી છે તે જ રવાના કરીએ છીએ. આશા છે કે તેનાથી આછોપાતળો ખ્યાલ તો મળી જ રહેશે. પુષ્કળ સાહીત્ય પણ પ્રગટ થયું છે. રસ પડે અને વધુ જાણવા મન [...]

ગુજરાતી લીપી અને છપાઈનો રોમાંચક ઈતીહાસ : આ આપણે જાણતાં હતાં ?!

                                                                                                                               –કનુભાઈ જાની.
16મી સદીના ‘વીમલપ્રબંધ’માં 18 લીપીઓ દર્શાવી છે, તેમાંનું એક નામ છે “ગુર્જર લીપી”. એ કેટલીક પ્રતોમાં પણ છે; પણ તે એક લાંબી સળંગ રેખા નીચે લટકતા અક્ષરો રુપે છે. છેક કવી દલપતરામ ડાહ્યાભાઈ સુધી એના નમુના મળતા રહ્યા છે. [આ વાત આપણે ગયે સોમવારે વાંચી. ગુર્જર લીપી વગેરેની વાત હવે આગળ જાણીએ]:
સો વરસનો [...]

લીપી લેખકોએ નહીં, વેપારીએ તૈયાર કરાવી હતી !!

જોડણીનો ખપજોગો ઈતીહાસ              
–કનુભાઈ જાની.
આ જોડણીનો પ્રશ્ન સમજવા થોડીક ઈતીહાસની ભુમીકા હોય તો ઉપકારક બને. ચાર બાબતો આની સાથે સંકળાયેલી છે :
લેખન, મુદ્રણ, જોડણી અને લીપી.
ચારેયનો અલગ અલગ વીચાર કરી શકાય; પણ એ પરસ્પર અસર કરનારી બાબતો છે, તેથી ટુંકમાં પણ જાણી સારી.
[1] લીપી :
આજે લખવાનું આવતાં જ ફટાફટ અક્ષરો પાડવા માંડીએ છીએ તે લીપી [...]

ગુજરાતી ભાષા પરીષદનું પ્રકાશન:કેટલીક હકીકતો !

                                           
” જોડણી વીચાર “ માંથી ક્રમશ:
(ગુજરાતી ભાષાપરીષદના ઉપક્રમે ઉંઝા જોડણી અંગેના કેટલાક વારંવાર પુછાતા સવાલોના જવાબો ગુજરાતીભાષાવીજ્ઞાનના પ્રાધ્યાપક  ડૉ.યોગેન્દ્ર વ્યાસે આપ્યા હતા.એ પુસ્તીકા અહીં ક્રમશ: રજુ કરીએ છીએ.)
** જોડણીમાં એક જ ઈ-ઉની હીમાયત તો હાલની સ્વીકૃત જોડણીના સમય પહેલાંથી ગોવર્ધનરામ ત્રીપાઠી જેવા સાક્ષરો દ્વારા થતી આવી છે.
** બે-બે ઈ-ઉની નીરર્થકતા વીષે પણ અનેક વાર ભાયાણી [...]

લેખકોને નીવેદન

સંપાદકીય
 
ભાષા સાથે કામ પાડનારાં મહત્વનાં બે જુથ છે. એક શીક્ષકો અને બીજા આપણે લેખકો. જોડણી સુધાર અને ખાસ કરીને એક જ ઈ-ઉના વીચારને શીક્ષકોએ વ્યાપક ટેકો કરેલો છે. જોડો ક્યાં ડંખે છે અને એનો શું ઉકેલ કાઢવો રહ્યો એ જાણે કે તેઓ સમજે છે. અનેક લેખકો-પત્રકારો પણ આ સુધારાની અનીવાર્યતા અને દુરગામી શક્યતાઓ સમજીને [...]

ઉંઝા જોડણી અંગે કેટલુંક ખાસ: 2

વીદ્યાગ્રહ : 2                                                                        –કનુભાઈ જાની.
કેટલીક સ્પષ્ટતાઓ કરવાની જરુરી છે : ( ગયા અંકનું ચાલુ.)
1 ]  ભાષા, લીપી, જોડણી, મુદ્રણ ચારેયમાં સુધારા કેટલાકને સુઝે, તે જરુર પ્રયોગે અને પ્રયોજે, માત્ર એને તે બધા પોતાના અંગત પ્રયોગો છે તેવી ઓળખ આપે.’ઉંઝા જોડાણી’ કે ‘ગુજરાતી ભાષા પરીષદ’નું નામ ન આપે. પ્રયોગો ઈષ્ટ. પણ તે સમજપુર્વકના હોવા જરુરી છે [...]

આપણી ભાષાના પાયાના પ્રશ્નોની વાત, સૌ સાથે.

વીદ્યાગ્રહ !                                                                                                 -                                           –કનુભાઈ જાની.
આપણી ( ભાષાસુધારની ) કામગીરીમાં ઉપયોગી થાય તેવી કેટલીક બાબતો પ્રત્યે ધ્યાન દોરવા માગું  છું.
આપણે જે કામ લઈને બેઠાં છીએ તેને હું ‘વીદ્યાગ્રહ’ કહું છું. સત્યાગ્રહમાં ભલે અહીંસક પણ લડાઈનો કે સંઘર્ષનો ભાવ છે; અહીં ‘વીદ્’ એટલે ‘જાણવું’-સમજવું એ જ આગ્રહ છે. જાણીને, સમજ્યા પછી થતો આ આગ્રહ છે. આ [...]