“ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ” (GRIDS) સંસ્થા અંગે અહીં આ પહેલાં લખી ચુક્યો છું. દેશપરદેશનાં લેખકોની રચનાઓને પ્રગટ કરીને ગુજરાતીભાષાનું હીર સૌમાં ઝગમગાવવાની નેમ રાખીને કાર્યરત આ સંસ્થા શ્રી બળવંતભાઈ જાનીના નેતૃત્વે અત્યારે પુસ્તકોના પ્રકાશનમાં વ્યસ્ત છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં પાંચ પુસ્તકો (જુઓ અહીં નીચે મુકેલો લેખ) પછી આ માસની ૨૭મીએ બીજાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પુસ્તકોનાં લેખિકા છે રેખા પટેલ જેમનાં કાવ્યોમાંથી એકને આ જગ્યાએ મુકેલું….(જુઓ, નીચેનો બીજો લેખ).
પરદેશ વસતાં ગુજરાતીઓને સાથે રાખીને બળવંતભાઈએ ઉપાડેલા આ મહાકાર્યની ઝાંખી કરવાનો લહાવો ૨૭મીએ લઈ શકાશે ! જુઓ આ આમંત્રણ–કંકોત્રી !!
http://www.jjugalkishor.in/lekhako/jugalkishor/parichay-sanstha-2/
http://www.jjugalkishor.in/lekhako/jugalkishor/parichay-vyakti-23/